રાહુલે "હિન્દુ" શબ્દને ટાંકીને કહી આ વાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુરશી પરથી ઉભા થઈને આપ્યો જવાબ, ગૃહમંત્રી અમિત શાહે- કહ્યાં આવા શબ્દો...
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan01072024_112011_Rahul and modi.webp)
- 01 Jul, 2024
લોકસભામાં આજે રાષ્ટ્રપતિ અભિભાષણ પર ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ચર્ચા શરૂ કરી અને બંધારણના બહાને મોદી સરકાર પર જોરદાર શાબ્દિક હુમલો કર્યો. પોતાના ભાષણની શરૂઆત બંધારણની કોપી હાથમાં લઈને કરી. આ દરમિયાન રાહુલ ગાંધીએ એક એવું નિવેદન આપ્યું કે જેનાથી હોબાળો થાય. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉભા થઈને વિરોધ વ્યક્ત કર્યો અને કહ્યું કે સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહેવો તે ગંભીર બાબત છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીજીએ પોતાના ભાષણમાં એક દિવસ કહ્યું કે હિન્દુસ્તાને ક્યારેય કોઈ પર હુમલો કર્યો નથી. તેનું કારણ છે કે હિન્દુસ્તાન અહિંસાનો દેશ છે, તે ડરતો નથી. આપણા મહાપુરુષોએ એ સંદેશો આપ્યો છે કે ડરો મત, ડરાઓ મત. શિવજી કહે છે કે- ડરો મત, ડરાઓ મત અને ત્રિશૂલને જમીનમાં રાખે છે. બીજી તરફ જે લોકો તમને હિન્દુ કહે છે, તે 24 કલાક હિંસા-હિંસા-હિસા. નફરત-નફરત-નફરત કહે છે. તમે હિન્દુ છો જ નહીં. હિન્દુ ધર્મમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે સત્યનો સાથ આપવો જોઈએ.
રાહુલ ગાંધીના નિવેદન પર સત્તા પક્ષના સભ્યોએ હોબાળો કર્યો. પીએમ મોદીએ પોતાની ખુરશી પરથી ઉભા થઈને, આ વાત ગંભીર હોવાની વાત કહી. પીએમ મોદીએ કહ્યું કે હિન્દુ સમાજને હિંસક કહેવો ગંભીર વાત છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી અને બીજેપી, આખો હિન્દુ સમાજ નહીં.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે વિપક્ષના નેતાએ જે કહ્યું તેની તેમણે માફી માંગવી જોઈએ. આ ધર્મ પર કરોડો લોકો ગર્વથી હિન્દુ કહે છે. હું તેમને વિનંતી કરું છું કે ઈસ્લામમાં અભય મુદ્રા પર એક વખત ઈસ્લામિક વિદ્રાનોનો મત તેઓ લઈ લે. ગૃહમંત્રી અમિત શાહે વાંધો વ્યક્ત કરતા કહ્યું કે વિરોધ પક્ષના નેતા આ અંગે માંફી માંગે. શાહે કહ્યું કે રાહુલ કહેવા માંગે છે કે દેશના કરોડો હિન્દુ હિંસક છે? શાહે કહ્યું કે શું વિરોધપક્ષના નેતા માફી માંગશે. હિંસાને કોઈપણ ધર્મની સાથે જોડવો તે ખોટી વાત છે. અમિત શાહે કહ્યું કે રાહુલને દેશની માફી માંગવી જોઈએ.
અમિત શાહે કહ્યું કે ઈસ્લામમાં અભય મુદ્રા, આ અંગે ઈસ્લામના વિદ્વાનોનો મત લઈ લો, ગુરુનાનક જીના અભય મુદ્રાના મુદ્દા પર SGPCનો મત લઈ લો. અભય વાત તો એમને કરવાનો કોઈ હક જ નથી, જેમણે ઈમરજન્સીથી આખા દેશને ભયભીત કર્યો હતો. ઈમરજન્સીનો સમય વૈચારિક આતંક હતો. દિલ્હીમાં ખુલ્લેઆમ હજારો શીખોની હત્યા થઈ હતી. આ લોકો અભ્યની વાત કરી રહ્યાં છે. વિરોધ પક્ષના નેતાએ સંસદમાં પહેલા ભાષણમાં આખા દેશની માફી માંગવી જોઈએ.